શ્રુતગંગા દ્વારા ઘણા વર્ષોથી લગભગ ૮૫૦ વર્ષ સુધી ટકે તેવા સાંગાનેરી કાગળ ઉપર હાથે બનાવેલી સ્યાહીથી લહિયાઓ પાસે આપણા શાસ્ત્રો લખવાનું કાર્ય ચાલે છે. કાગળ તો ટકાઉ મળે પણ સ્યાહીને
પણ ટકાઉ બનાવવા માટે તાંબાના પાત્ર પાર તલના તેલની જયોતથી બનતી મેષ દ્વારા ૧૦૦ગ્રામ મેષ ભેગી થાય તેમાં ૧૫૦ગ્રામ હીરાબોળ અને ૨૫૦ગ્રામ લીંબડાનો ગુંદર લગભગ ૬૪ પ્રહાર સુધી એટલે કે ૧૯૨ કલાક ઘૂંટીને સ્યાહીની પણ કાગળ ટકે ત્યાં સુધી ટકાવવાની વ્યવસ્થા કરવામાં આવે છે....વધુ વાંચો